Saturday 7 September 2013

સંતરામપુરમાં મુખ્યમંત્રીનું પૂતળા દહન કરાયુ, સંતરામપુર, તા. ૬




                                                                                                                             સંતરામપુર,  તા. ૬                          સંતરામપુર      કોંગ્રેસના ગુજરાત બંધ અંતર્ગત સંતરામપુરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. પોલીસે કોંગ્રેસી ધારાસભ્ય સહિત કાર્યકરોને ડીટેઈન કર્યા હતા. ત્યારે બીજી તરફ મુખ્યમંત્રીનૂ પૂતળા દહન પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધના કાર્યક્રમમાં સવારે ૧૦ કલાકે એલઆઈસી પાસેથી સંતરામપુર કોંગી ધારાસભ્ય જી. એમ. ડામોરની આગેવાની હેઠળ ૫૦- ૬૦ કાર્યકરો બેનરો પત્રિકા વહેંચી વેપાર ધંધા બંધ રાખી બંધના કાર્યક્રમમાં લોકોને જોડી રહ્યા હતા. ત્યારે ગોધરા ભાગોળ ચાર રસ્તા પાસે પોલીસના વિશાળ કાફલાએ ધારાસભ્ય જી. એમ. ડામોર, સહિત ૫૦ કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.કોંગી કાર્યકરોએ પોલીસ દ્વારા ડીટેઈન કરાતા ભારે સુત્રોચ્ચાર કરી મુખ્યમંત્રી મોદીના રાજીનામાની માંગ કરી હતી. બીજી તરફ અન્ય કોંગી કાર્યકરોએ રિલાયન્સ પંપ સર્કલ પાસે મુખ્યમંત્રી મોદીના પૂતળાનું દહન કર્યું હતું.

0 comments:

Post a Comment