panam river

near the lunawada city.

KALESHVARI TEMPLE

Near The NH.

KALESHVARI WATER KUND

Near The NH.

KADANA

WATER RESERVOR.

Thursday 26 September 2013

કડાણા જળાશયના ૧૩ ગેટ ૩ ફૂટ સુધી ખોલી ૬૧ હજાર ક્યુસેક પાણી છોડાયું Sep 24, 2013

                                                                                                                                      મહીસાગર, તા.૨૩
પંચમહાલ-મહીસાગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાનું અવિરત આગમન જારી રહેતાં કડાણા જળાશયમાંથી ૧૩ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી ૮૦ હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું. મેઘરાજાના આગમન વચ્ચે સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતાં. જોકે મેઘરાજાના આગમનથી ધરતીપૂત્રોમાં ખુશીનો માહોલ જોવાઇ રહ્યો છે.

સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા : ધરતીપૂત્રોમાં પાછોતરા વરસાદથી ખુશીનો માહોલ જોવાયો
ભર ભાદરવે સતત ત્રીજા દિવસે પણ અષાઢી માહોલ જોવાયો હતો. વરસાદના અવિરત આગમનને લઇ રાબેતા મુજબ ધબકતુ જનજીવન ખોરંભાયું હતું. મેઘરાજાએ તબક્કાવાર આગમન કરતાં ગોધરા શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતાં. જ્યારે નદીઓ, કોતરો પણ વહેતી થઇ હતી. સતત વરસાદી આગમનથી ડાંગરના પાકો તેમજ આગામી ઉનાળુ સિઝન માટે ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે પરંતુ ખેતરમાં ઊભા કેટલાક મોલમાં નુકસાન થવાની ભીતિ વ્યાપી છે. સોમવારે પણ મેઘરાજા આગમન જારી રાખતાં કડાણા જળાશયમાંથી નવ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી ૬૧ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાં પાણીની આવક ૮૦ હજાર ક્યુસેક નોંધાઇ હતી. જેથી ડેમ સૂત્રોએ રૂલ લેવલ સપાટી જાળવી રાખી પાણી છોડયું હતું. ડેમની ભયજનક સપાટી ૧૨૭.૭૧ મીટર સપાટી છે. જ્યારે હાલની સપાટી ૧૨૭.૪૩ મીટરે પહોંચી છે. જોકે સોમવારે કડાણા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી તબક્કાવાર જારી રહી હતી પરંતુ સર્જીત વાતાવરણથી મેઘરાજાના વધુ આગમનની છડી જોવાઇ હતી. બંને જિલ્લાઓમાં સતત વરસાદી આગમન વચ્ચે ચોમાસાનો માહોલ જોવાયો હતો.

પંચમહાલ-મહીસાગર જિલ્લામાં વરસાદી પ્રમાણ આ મુજબ છે કાલોલ૨૫ મી.મી, કડાણા ૨૦ મી.મી, લુણાવાડા    ૩૦ મી.મી., ઘોઘંબા ૨૦ મી.મી., હાલોલ ૫ મી.મી., સંતરામપુર ૮ મી.મી. વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વરસાદના આંકડા સાંજે ચાર વાગ્યા સુધીના છે. પાનમ ડેમમાંથી બે ગેટ ચાર ફૂટ સુધી ખોલી ૧૯ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ડેમમાં પાણીની આવક ૧૩ હજાર ક્યુસેક છે.

Tuesday 17 September 2013

લુણાવાડા નગરમાં ૧૦૦થી વધુ દબાણોનો સફાયો બોલાવતા કલેક્ટર Sep 17, 2013

     


                                                                                                                                       લુણાવાડા, તા.૧૬
     લુણાવાડામાં અંદાજે ૧૦૦ થી ૧૫૦ ગેરકાયદેસર દબાણોનો કલેકટરે સફાયો બોલાવતા પ્રજામાં આનંદની લાગણી છવાઇ હતી. આજરોજ સાંજના સમયે મહીસાગર જિલ્લાના કલેકટર પ્રફુલ્લ હર્ષે, સરકારી કર્મચારીઓની ટીમ તથા પોલીસ અધિકારીઓના કાફલા સાથે મળી લુણાવાડાના દરકોલી દરવાજાથી મામલતદાર કચેરી સુધી જવાના રસ્તા ઉપર અંદાજે ૧૦૦ થી ૧૫૦ ગેરકાયદે દબાણોને દૂર કર્યા હતા. 

અંદાજે ૧૦૦ થી ૧૫૦ દબાણો દૂર કરવામાં આવ્યા
આ દબાણોના કારણે વાહનોની અવર જવરમાં ભારે તકલીફ પડતી હતી અને લુણાવાડાના સૌથી મોટા આ રસ્તા ઉપર પ્રજાને ચાલવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું હતું. જયારે લુણાવાડાની પ્રજાની કેટલાય સમયની માંગણીને મહીસાગર જિલ્લાના કલેકટર પ્રફુલ્લ હર્ષે દ્વારા ધ્યાનમાં લઇને આજરોજ મોટા પાયે દબાણોનો સફાયો કરવામાં આવતાં લુણાવાડાની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી છે.

Sunday 15 September 2013

લુણાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં ૩૮૭૨ લાભાર્થીઓને રૂ. ૬૭૪.૧૧ લાખની સહાય Sep 15, 2013



                                                                                                                                    લુણાવાડા  , તા. ૧૪

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યા બાદ પંચમહાલ જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, આ અગાઉના ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૬૫૧૮૬ લાભાર્થીઓને રૂ. ૧૪૭ કરોડની સહાય ચુકવાય છે. લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૩૮૭૨ લાભાર્થીઓએ રૂ. ૬૭૪.૧૧ લાખની સહાય અપાઈ છે. પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિના કારણે રાજ્યના પછાત અને ખાસ કરીને આદિવાસી જિલ્લાઓને પ્રાધાન્ય આપીને ગરીબોને ઘરનું ઘર મળ્યું છે. મંત્રી ચુડાસમાના હસ્તે લુણાવાડા તાલુકાના ૧૫૪૭ લાભાર્થીઓને તથા શહેરા તાલુકાના ૧૩૬૪ મળી કુલ ૨૯૧૧ લાભાર્થીઓને સરદાર આવાસ યોજના તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાના કુલ ૯૬૧ લાભાર્થી મળી કુલ ૩૮૭૨ લાભાર્થીઓને કુલ રૂ. ૬૭૪.૧૧ લાખની નાણાંકીય સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રશ્મીકાબેન પટેલ, મહીસાગર જિલ્લા કલેકટર પ્રફુલ હર્ષે, જિલ્લા વિકાસ અધિકારી નરેન્દ્રકુમાર મીના, લુણાવાડા પ્રાંત અધિકારી એ. કે. બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. એન. પટેલ પ્રાયોજના વહીવટદાર આર. આર. રાવલ સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ગરીબ કલ્યાણ મેળામાં લુણાવાડા તથા શહેરા તાલુકાના લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. એન. પટેલે આભાર વિધી કરી હતી.

Tuesday 10 September 2013

પંચમહાલ- મહીસાગરમાં ૧૦૦૦ શ્રીજી પ્રતિમાઓની સ્થાપના Sep 10, 2013

દશ દશ દિવસના મોંઘેરા મહેમાન દુંદાળા દેવ ૧૦૦૦ પ્રતિમાઓની પંચમહાલ- મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળે વિધિવત્ સ્થાપના કરવામાં આવી છે. જિલ્લાના ગોધરામાં શ્રીજી પાંચ દિવસનું આતિથ્ય માણશે. વિવિધ મંડળો દ્વારા વિઘ્નહર્તાના પાવન પર્વ નિમિત્તે વિવિધ થીમ અને ડેકોરેશન સાથે શ્રીજી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશોત્સવના મંગલમય પ્રારંભ સાથે ચારેકોર શ્રીજી વંદના ધૂન વચ્ચે વાતાવરણ ગણેશમય બની ગયુ છે. બીજી તરફ જૈન મહાપર્વના સવંત્સરી અને ગણેશોત્સવનો સુભગ સમન્વય થતાં જૈન બંધુઓએ સૌને મિચ્છામી દુક્કડમ્ કહેવા સાથે વિઘ્નહર્તા વિશ્વ કલ્યાણ કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.

જૈનોના મહાપર્વ સવંત્સરી અને ગણેશોત્સવનો સુભગ સમન્વય : જૈન બંધુઓએ મિચ્છામી દુક્કડમ કર્યા
ગત વર્ષે આગલા વર્ષે જલ્દી આવવાના કોલ સાથે શ્રીજી પ્રતિમાઓને ભાવભરી વિદાય આપ્યા બાદ છેલ્લા પખવાડીયાથી શ્રીજી સવારીને આવકારવાના થનગનાટ બાદ ગણેશ ભકતોએ સોમવારે વિઘ્નહર્તા શ્રીજી પ્રતિમાઓની સ્થાપના સાથે પૂજન અર્ચન કર્યુ હતું. દશ દશ દિવસના મોંઘેરા મહેમાન બની પધારેલા શ્રીજી સાથે સાથે ગણેશ મંડળોએ વિવિધ થીમ થકી સમાજને સંદેશ પહોંચાડવાના પ્રયાસ સાથે આકર્ષક ડેકોરેશનથી પંડોલા સજાવ્યા છે. રવિવારની મોડી રાત્રી સુધી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધા બાદ સોમવારે શુભ મુર્હૂતમાં શાસ્ત્રોકત વિધી અનુસાર શ્રીજી પ્રતિમાઓનુ પૂજન અર્ચન સાથે સ્થાપના કરવામાં આવી હતી. પંચમહાલ- મહીસાગર જિલ્લામાં નાના- મોટા મળી ૧૦૦૦ શ્રીજી પ્રતિમાઓની વિવિધ સ્થળે સ્થાપના કરવામાં આવી છે. જેને લઈ ચોતરફ ગણેશમય માહોલ જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં પ્રથમ દિવસથી જ મોડી રાત્રી સુધી વિવિધ સ્વરૂપે બિરાજેલા શ્રીજીના દર્શનાર્થે ભાવુકોની ભીડ જોવા મળી હતી.


Saturday 7 September 2013

પંચમહાલના નકશામાંથી સંતરામપુર અને કડાણા તાલુકાની બાદબાકી થઇ Sep 05, 2013






                                                                                                                                     સંતરામપુર, તા. ૫
પંચમહાલ જિલ્લા પંચાયતે વર્ષ ૨૦૧૩/૨૦૧૪ની નવી ડાયરી બહાર પાડી છે. આ ડાયરીમાં જિલ્લા પંચાયત ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાનો નક્શો છાપવામાં આવ્યો છે. જે નક્શો વાસ્તવમાં કોઇપણ જાતની ચકાસણી કર્યા વગરનો અને ખોટો નક્શો છપાયો છે.

જિ.પં.ના કર્તાહર્તાઓને આવી ગંભીર ભૂલ ધ્યાને ન ચડતા જિ. પં.નો કેવો વહીવટ છે તેનું સ્પષ્ટ ઉદાહરણ મળ્યું
જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા દ્વારા વર્ષ ૨૦૧૩-૨૦૧૪ની નવી છપાયેલી ડાયરીમાં પંચમહાલ જિલ્લાના નક્શામાં ક્યાંય સંતરામપુર અને કડાણા તાલુકો જણાતો નથી. તો શું પંચમહાલ જિલ્લામાંથી સંતરામપુરને કડાણા તાલુકાના બાદબાકી કરવાનું અધિકારીઓનું પ્રયોજન હોઇ શકે? સંતરામપુર કડાણા તાલુકાને પ્રથમ દાહોદ જિલ્લામાં પછી પંચમહાલ જિલ્લામાં ને તા. ૧૫- ૮- ૧૩ થી વળી પાછા મહીસાગર જિલ્લામાં મોકલી બાઇ બાઇ ચારણી જેવી સ્થિતિ આ પછાત તાલુકાની કરી છે. અને તેમાય વળી પંચમહાલમાં હોવા છતાં સંતરામપુર અને કડાણાં તાલુકાને ડાયરીમાં છપાયેલા નક્શામાંથી બાકાત દર્શાવવામાં આવ્યું છે.  જિલ્લા પંચાયતના સત્તાધીશો આવી ગંભીર ભુલ કરે તેને શું સમજવું ? પંચમહાલ જિલ્લામાં કેટલા તાલુકા સમાવિષ્ટ છે. તેની માહિતીને જ્ઞાન જો જિલ્લા પંચાયતને ના હોય તો પછી એ જિલ્લાની વહીવટ કેવી કરાતો હશે? તેવા સવાલો ઉઠયા છે.

આ ડાયરી છપાઇ ત્યારે તેનું પ્રુફ રિડિંગ પણ થયું હશે, તો તે સમયે શું ધ્યાન રાખ્યું ? જિલ્લા પંચાયતમાં જવાબદારીપૂર્વક કામગીરી થતી નથી તેનું આ ડાયરી સ્પષ્ટ ઉદાહરણ છે.

લુણાવાડામાં કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ ,લુણાવાડા ,તા. ૬,




                                                                                                                                 લુણાવાડા ,તા. ૬
લુણાવાડા- કોંગ્રેસ તરફથી આપવામાં આવેલા ગુજરાત બંધ અંગે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે તા. ૬ઠ્ઠીના રોજ સવારના સમયે કોંગ્રેસી કાર્યકરો એક જૂથમાં નીકળતા પોલીસ તંત્રએ કાર્યકરોની ધરપકડ કરી હતી. જેને પગલે બંધના એલાનનો ફીયાસ્કો થયો હતો. આજરોજ સવારના સમયે લુણાવાડા નગરમાં કોંગ્રેસી કાર્યકર અને ધારાસભ્ય હીરાભાઈ પટેલ તેમજ ભરતભાઈ પટેલ- માજી જિલ્લા પંચાયત સભ્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી. એમ. પટેલ સહિત તમામ કોંગ્રેસી કાર્યકરોએ એક જૂથમાં એકઠા થઈ લુણાવાડા ચોકડી પાસે બંધના એલાનને સફળ બનાવવા દુકાનો, સ્કૂલો બંધ કરાવવા પ્રયાસો કર્યા હતા. ચોકડી પાસે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરાઈ હતી.લુણાવાડામાં શાંતિમય રીતે સંપૂર્ણ દિવસ દરમિયાન દુકાનો, સ્કૂલો, બેંકો, પેટ્રોલ પંપ તેમજ વિવિધ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પણ કાર્યરત રહી હતી અને નગરમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.જયારે બીજી બાજુ મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં આવેલા મલેકપુર ગામમાં પણ કોંગ્રેસી કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા. પરંતુ પોલીસ તંત્રએ તેમની પણ ધરપકડ કરીને દુકાનો અને ધંધા રોજગારો ચાલુ રખાવ્યા હતા.

સંતરામપુરમાં મુખ્યમંત્રીનું પૂતળા દહન કરાયુ, સંતરામપુર, તા. ૬




                                                                                                                             સંતરામપુર,  તા. ૬                          સંતરામપુર      કોંગ્રેસના ગુજરાત બંધ અંતર્ગત સંતરામપુરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. પોલીસે કોંગ્રેસી ધારાસભ્ય સહિત કાર્યકરોને ડીટેઈન કર્યા હતા. ત્યારે બીજી તરફ મુખ્યમંત્રીનૂ પૂતળા દહન પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધના કાર્યક્રમમાં સવારે ૧૦ કલાકે એલઆઈસી પાસેથી સંતરામપુર કોંગી ધારાસભ્ય જી. એમ. ડામોરની આગેવાની હેઠળ ૫૦- ૬૦ કાર્યકરો બેનરો પત્રિકા વહેંચી વેપાર ધંધા બંધ રાખી બંધના કાર્યક્રમમાં લોકોને જોડી રહ્યા હતા. ત્યારે ગોધરા ભાગોળ ચાર રસ્તા પાસે પોલીસના વિશાળ કાફલાએ ધારાસભ્ય જી. એમ. ડામોર, સહિત ૫૦ કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.કોંગી કાર્યકરોએ પોલીસ દ્વારા ડીટેઈન કરાતા ભારે સુત્રોચ્ચાર કરી મુખ્યમંત્રી મોદીના રાજીનામાની માંગ કરી હતી. બીજી તરફ અન્ય કોંગી કાર્યકરોએ રિલાયન્સ પંપ સર્કલ પાસે મુખ્યમંત્રી મોદીના પૂતળાનું દહન કર્યું હતું.

પંચમહાલ- મહીસાગર જિલ્લામાં 'બંધ' નિષ્ફળ Sep 07, 2013






તા. ૬

પંચમહાલ- મહીસાગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા ધારાસભ્યો અને કાર્યકરોએ કમર કસી સવારથી દુકાનો, શાળાઓ બંધ કરાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા સતત બંદોબસ્ત જારી રાખી આ પ્રયાસો નાકામીયાબ બનાવાયા હતા અને ગોધરા, સંતરામપુર અને લુણાવાડાના ત્રણ ધારાસભ્યો સહિત કોંગ્રેસી કાર્યકરો મળી ૧૨૦ ઉપરાંતને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેને લઈ જનજીવન યથાવત રોજીંદા ક્રમ મુજબ ધબકતુ રહેવા સાથે ગુજરાત બંધના એલાનને નહીંવત સફળતા પણ પ્રાપ્ત થઈ નહોતી.

દુકાનો- શાળાઓ બંધ કરાવવા કોંગ્રેસી ધારાસભ્યો- કાર્યકરોના પ્રયાસો પોલીસે નિષ્ફળ બનાવ્યા
  1. કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર સામે ભ્રષ્ટાચાર, ડી જી વણઝારાનો સ્ફોટક પત્ર જેવા વિવિધ મુદ્દે શુક્રવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. કોંગ્રેસનું એલાન વર્તમાન સરકાર માટે પ્રતિષ્ઠાના જંગ સમુ સાબિત થયું હતું. કોંગ્રેસ દ્વારા બંધના એલાનને સફળ બનાવવા તથા આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની બેઠક યોજવા સાથે પૂતળા દહનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે જ શુક્રવારે સવારથી ગુજરાત બંધના એલાનને સફળ બનાવવાના ભાગરૂપે ગોધરા સહિત તમામ શહેરોમાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દુકાનો- શાળાઓ બંધ કરી બંધના સમર્થન અંગેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા પણ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલીંગ જારી રાખી કોંગ્રેસ કાર્યકરોને ડીટેઈન કરી દુકાનો બંધ કરાવવાના પ્રયાસોને અટકાવાયા હતા. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને ગોધરા ધારાસભ્ય સી. કે. રાઉલજી, લુણાવાડા ધારાસભ્ય હીરાભાઈ પટેલ, તેમજ સંતરામપુર ધારાસભ્ય જી. એમ. ડામોર અને તમામ શહેરોમાંથી પદાધિકારી તેમજ કાર્યકરો મળી પોલીસે ૧૨૦ કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કરવામાં આવ્યા હતા.


કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના એલાનને પંચમહાલ- મહીસાગર જિલ્લામાં નહીંવત કહી શકાય એટલી પણ સફળતા સાંપડી નહોતી. માત્ર ઘોઘંબામાં કેટલાક વેપારીઓ દ્વારા સ્વયં જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હોવાનું જાણવા મળ્યુ હતું. જો કે આ બાબતને સત્તાવાર સમર્થન મળી શકયુ નહોતૂં. પંચમહાલ- મહીસાગર જિલ્લામાં ધંધા રોજગાર અને એસટી બસ શાળા, કોલેજો તમામ રાબેતા મુજબ કાર્યરત રહ્યુ હતું. કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને સફળ બનાવવા કાર્યકરો અને પદાધિકારીઓએ કમર કસી પ્રયાસો આદર્યા હતા. બીજી તરફ વર્તમાન સરકાર અને ભાજપાના પ્રતિષ્ઠાના જંગ રૂપી પડકારને પહોંચી વળવા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેનું પરિણામ સત્તારૂઢ સરકારને તમામ વહેવારો રાબેતા મુજબ ચાલુ રહેતા સાંપડયુ હતું.

 

Sunday 1 September 2013

સંતરામપુરના પાદેડી ગામે કુવામાંથી ૧૦૦ કિલો વજનનો મગર બહાર કઢાયો 30 aug


સંતરામપુર, તા. ૩૦
સંતરામપુરના પાદેડી ગામના રહીશ શંકરભાઈ લાલાભાઈ ડામોર પોતાના કુવા પાસે જતાં કુવાની અંદર એક મગર જોતા તેઓએ જંગલ ખાતાના અધિકારીને જાણ કરી હતી. જેથી તેઓનાકર્મચારીઓએ કુવામાંથી ૬ ફુટ લાંબો અને ૧૦૦ કિલો વજનનો મગર બહાર કાઢયો હતો. ત્યારબાદ આ મગરને મહીસાગર નદીમાં છોડી મુકવામાં આવ્યો હતો.

અમે તો લુણાવાડાને જિલ્લાનું મુખ્ય મથક આપ્યું : નરેન્દ્ર મોદી


  1.  લુણાવાડા, તા. ૩૦
  2. નવરચિત મહિસાગર જિલ્લાના શુભારંભ સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકાર પર માર્મીક ચાબખા વિંઝવા સાથે ઉપસ્થિત જનમેદનીને આડકતરી ટકોર કરતા જણાવ્યું કે તમે ભલે અમને કાંઇ આપ્યું કે ના આપ્યું પણ અમે તો લુણાવાડાને જિલ્લાનું મુખ્ય મથક આપ્યું છે. અમે તો રાજકીય સંસ્કૃતિને વરેલા લોકો છીએ. એમ જણાવતા ગત વિધાનસભા ચૂંટણી ટાંણે ભાજપાના ઉમેદવારોના થયેલા પરાજયની શાબ્દિક ટકોરથી ઉપસ્થિત જનમેદનીને ઝાંખી કરાવી હતી. મુખ્યંત્રીએ લુણાવાડા સહિત મહિસાગર તાલુકાના રહીશોની તમામ સ્થિતિનો તાગ આપી વિકાસની નવી કેડી કંડારી રાજ્યના અન્ય જિલ્લાઓની હરોળમાં મક્કમતાભર્યું ડગ માંડવાનું આહવાન કરી પોતાની સરકારના સહકારની ખાત્રી આપી હતી.

  1. નવરચિત મહીસાગર જિલ્લાના શુભારંભ પ્રસંગે દિલ્હી સરકાર પર માર્મીક ચાબખા વિંઝવા સાથે ઉપસ્થિત જનમેદનીને મુખ્યમંત્રીની આડકતરી ટકોર
  2. પંચમહાલ ખેડા જિલ્લામાથી તાલુકાઓનો સમન્વય કરી નવરચિત જાહેર કરાયેલા મહિસાગર જિલ્લાનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લેસર ટોર્ચથી લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે યોજાયેલા સમારોહમાં કર્યો હતો. દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક ઉદ્બબોધનમાં મહિસાગર જિલ્લાના નિર્માણ પછી પ્રથમવાર નાગરિકોના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એમ જણાવતા લુણાવાડા સાથેના પોતાના ભૂતકાળને વાગોળતા વર્ષો પૂર્વે લુણાવાડા કોલેજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા હતા. લુણાવાડા સાથે જાહેર જીવનના પ્રારંભિક કાળથી સૌએ પ્રેમ આપ્યો છે. જેથી મહિસાગર જિલ્લાની રચનાને મને આપ સૌના કરતા સો ઘણો આનંદ મને છે જેનું અન્ન જળ ખાધું હોય એના વિકાસથી ગજગજ છાતી ફુલે એ પળ આજે મારા માટે છે. મહિસાગર જિલ્લાની પ્રજા હારમની વાળી છે. જેથી મુશ્કેલીઓમાંથી નીકળવાની સૌની હિંમત એક સમાન હોય છે જેથી વિકાસની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય એ મહીસાગર જિલ્લાવાસીઓ કરી બતાવશે. મુખ્યમંત્રીએ ભૂતકાળમાં વિચિત્ર રાજકીય વિકૃતિનો વિસ્તાર થયો ચૂંટણીમાં મત માંગવા વચનો આપ્યા પછી હારી ગયા હોય કે સરકાર અલગ પક્ષની હોય તો પણ આખી સરકાર ઝેર રાખે. અમે તો રાજકીય સંસ્કૃતિને વરેલા લોકો છીએ. કદાચ પ્રજાના પ્રેમમાં ખોટ રહી ગઇ હોય એમાં રાજકીય આટાપાટા ના કરવાના હોય અમે તો આત્મમંથન કરનારા છીએ વધુ મહેનત કરી પ્રેમ જીતવાવાળા છીએ. ભલે તમે ધારાસભ્ય ના આપ્યો પણ તમારો હક્ક એવો જ છે. એવી માર્મીક ટકોર થકી વિધાનસભા ચૂંટણી ટાંણે ભાજપાના ઉમેદવારોના થયેલા પરાજય સંદર્ભે ઉપસ્થિતોને ચાબખો વિંઝયો હતો. તેઓએ ઊમેર્યુ કે દિલ્હી સરકાર મને રોજ હેરાન કરે છે. ગુજરાતને પીંખી નાખે છે. યોજનાઓ ખાડે નાંખે છે. પરમાત્મા મને આવું પાપ ન કરાવે એમ જણાવતા મહિસાગર જિલ્લાવાસીઓ રમતગમતના સ્વભાવ વાળા છે. જેઓ આગામી દિવસોમાં આવનારા ખેલ મહાકુંભમાં ગુજરાતમાં પ્રથમ આવે એવું પરાક્રમ કરી બતાવે. પરસેવાનું પરાક્રમ નવસર્જનનું નિમીત્ત બને છે. પ્રજાકીય પરાક્રમ વિના વિકાસ અસંભવ છે.
  3. પ્રજાકીય પરાક્રમ એ પ્રગતિની ઔષધી છે જેના કારણે ગુજરાત પ્રગતિ કરે છે. આધુનિક ખેતપેદાશની જાણકારી માટે ઇઝરાયેલમાં થતા કૃષિ મેળાનું આયોજન ભલે દિલ્હી સરકાર ના કરે ગુજરાત સરકારે આગામી ૯ સપ્ટેમ્બરે કર્યં છે. જેનો તમામ ખેડૂતો લાભ લેવા આવે એવી લાગણી વ્યક્ત કરી હતી.આ સમારોહમાં મંત્રીઓમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રમણલાલ વોરા, નીતિન પટેલ સહિત ખેડા, મહીસાગર અને પંચમહાલના કલેક્ટરો તથા લુણાવાડા અને બાલાસિનોરના રાજવી પરિવારના સભ્યો તથા ધારાસભ્યો પંકજ પટેલ, જેઠા ભરવાડ, અરવિંદસિંહ રાઠોડ, નિમિષાબેન સુથાર,દેવુંસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.જીલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, માજી સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી હાજર રહ્યા હતા.ે 
  4. સમારોહમાં સ્થાનિક ધારાસભ્યોની અનુપસ્થિતિ
  5. ગોધરા : નવરચિત મહીસાગર જિલ્લાના શુભારંભ સમારોહમાં ઉત્સાહિત જનમેદનીના ટોળે ટોળા ઉમટયા હતા. પરંતુ સ્થાનિક ધારાસભ્ય પ્રજાજનોની આ ખુશીઓના સહભાગી નહીં બન્યા હોવાનું તેમની અનુપ સ્થિતિ ઉપરથી જણાઇ રહ્યું હતું. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હોવાથી કદાચ કોંગ્રેસના ધારાસભ્ય હાજર નહીં રહ્યા હોય પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ - દાહોદની આર્િથક કરોડરજ્જુ સમી પીડીસી બેન્ક પુનઃ કાર્યાન્વિત ટાંણે ભાજપા રચિત કાર્યક્રમ ટાંણે પણ કોંગ્રેસ આગેવાનોની સુચક ઉપસ્થિતિ જોવાઇ હતી. જે વિકાસ પ્રતિતીનો એક ભાગ હતી. 
  6. ચૂંટણી ટાણે આપેલું વચન ઠાલું નથી એવું મુખ્યમંત્રીએ સાબિત કરી બતાવ્યું
  7. ગોધરા : મહિસાગર જિલ્લાની ઘોષણા બાદ મુખ્યમંત્રીએ વાસ્તવિક પરિણામ થકી પ્રજામાં ચૂંટણી ટાણે આપેલું વચન ઠાલુ નથી એવું સાબિત કરી બતાવ્યું છે. પરંતુ દીર્ઘદૃષ્ટા મુખ્યમંત્રીએ ખેડા અને પંચમહાલ જિલ્લાના તાલુકાઓનો સમાવિષ્ટ કરી જાહેર કરેલા મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ ત્રણેય વિધાનસભા બેઠકો કોંગ્રેસના વિજેતા ઉમેદવારવાળી છે. જે બાબતને ખાસ ધ્યાનમાં રાખી પોતાની આગવી રાજનીતી બુધ્ધિનો ઉપયોગ કરી પોતાની નીશાન પાર પાડી લીધું છે. નવરચિત મહિસાગર જિલ્લાના શુભારંભ સમારોહ ટાણે મુખ્યમંત્રી દ્વારા વિકાસલક્ષી વિશિષ્ટ જાહેરાત કરશે એવી અટકળોનો આજે અંત આવ્યો હતો.

Friday 30 August 2013

કડાણા સિવિલ કોર્ટનો થયેલો પ્રારંભ...


સંતરામપુર, તા. ૨૭
નવા બનેલા કડાણા તાલુકામાં નવી કોર્ટ મંજૂર થતા કડાણા તાલુકાની નવીન સિવિલ કોર્ટ મળતા કડાણા તાલુકાને લાભ મળતો થયો છે.કડાણા તાલુકાની અલગ સિવિલ કોર્ટનો સંતરામપુર અને કડાણાના જજની ઉપસ્થિતિમાં આજથી પ્રારંભ કરાયો છે.
કડાણા તાલુકાની સિવિલ કોર્ટનું આજ રોજ કડાણાના પ્રિન્સિપાલ સિવિલ જજશ્રી પી.એ.પટેલ અને સંતરામપુર પ્રિન્સિપાલ સિવિલ જ્જ શ્રી પી.બી. પટેલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સંતરામપુર બાર એસો.ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કડાણા તાલુકા માટે અલગ સિવિલ કોર્ટ શરૂ થતાં કડાણા તાલુકાની પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ છે.

મહી નદી પરના ઘોડીયાર ડૂબક પૂલના બંને છેડે બેરીકેટ મૂકવા માંગ....




કડાણા, તા.૨૭
કડાણા પાસે આવેલી મહી નદી પરના ઘોડીયાર ડૂબક પુલ આવેલો છે. જેની બંને બાજુએ બેરીકેટ અથવા પોલીસ ચોકી ઉભી કરવાની માંગ ઉઠી રહી છે. ઘોડિયાડુબક પુલ પરથી દિવસ રાત અસંખ્ય વાહનોની અવર જવરથી સતત વ્યસ્ત રહે છે તેમજ તાલુકાના ઉત્તર વિભાગ તેમજ રાજસ્થાન રાજયને જોડતો આ એક જ હાઇવે આવેલો છે. ચોમાસા દરમ્યાન ઉપરવાસના ભારે વરસાદના કારણે વારંવાર વાહન વ્યવહાર ખોરવાઇ જાય છે. 
  • ચોમાસા દરમ્યાન પુલ ઉપરથી પાણી વહેતા અકસ્માતનો ભય
 જેના કારણે વેપારીઓ, નોકરીયાત વર્ગ તેમજ ઉચ્ચ અભ્યાસાર્થે જતા આવતા વિદ્યાર્થીઓને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ડુબક પુલને ઉંચો લેવામાં આવે તેવી આમ જનતાની માંગ છે. તાજેતરમાં લુણાવાડા પાસેના હાડોડ પુલ પર ગોજારી દુર્ઘટના સર્જાતા કમભાગી જીંદગીઓ મોતને ભેટી હતી. તેવો અણબનાવ અત્રેના પુલ પર ન બને તેની તકેદારીના ભાગરૂપે પુલના બંને છેડે ચોમાસા દરમ્યાન કામ ચલાઉ બેરીકેટ અથવા પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તો જીવલેણ અકસ્માત નિવારી શકાય તેમ છે.   હાલમાં પુલ પર પાણી ફરી વળવાના કારણે તંત્ર દ્વારા ઘોડિયાર પુલના બંને છેડે રોડ પર કામચલાઉ પીપ તેમજ કાંટા પાથરી રસ્તો બંધ કર્યાનો સંતોષ માની લે છે તો આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા કડાણા પાસેના ઘોડિયાર પુલનું લેવલ ઉચું કરવામાં આવે અથવા તો બંને છેડે બેરીકેટ કે પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તે ઇચ્છનીય છે.

CELEBRATION OF JANAMASTAMI IN LUNAWADA










મહીસાગર-પંચમહાલમાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

Aug 30, 2013
                                                                                                       
                                                   
               
                                       
     

ગોધર,શહેરા તા.૨૯
કૃષ્ણ જન્મોત્સવ - નંદ મહોત્સવની મહીસાગર પંચમહાલ જિલ્લાવાસીઓએ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણીકરી જય કનૈયાલાલકી હાથી ઘોડા પાલખના નાદ વચ્ચે વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધુ હતું. ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત પરંપરાગત મેળાઓ પણ ોયજાયાહતા. રાત્રીના બારના ટકોરે મંદિરોમાંકૃષ્ણ જન્મોત્સવની વધામણી કરવા ઝુમી ઉઠયા હતા. જુગારીયાઓએ પોલીસની નજરથી બચીને પરંપરાગત મુજબ જુગાર રમી આઠમની ઉજવણી કરી હતી.
  • જય કનૈયાલાલ કી ના નાદ સાથે ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા : પરંપરાગત મેળાનું પણ આયોજન
કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ પર્વને લઇ પંચમહાલ મહીસાગર વાસીઓમાં ઉજવણીનો અનેરો થનગનાટ જોવાયો હતો. આઠમના દિવસે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. અવનવા આભુણો અને વાઘાથી દ્વારકાધીશને સજાવવામાં આવ્યા હતા. ગોધરા,શહેરાના મર્ડેશ્વરના મેળા સહિત જિલ્લાભરમાં પરંપરા અનુસાર ગોકુળ આઠમના મેળાઓ યોજાયા હતા. જેનો આનંદ માણ્યા બાદ સૌએ રાત્રીના બારના ટકોરે કૃષ્ણ જન્મોતવસની ઉજવણી કરી ભગવાનને પારણે ઝુલાવ્યા હતા. ઠેરઠેર કનૈયાલાલકી હાથી ઘોડા પાલખીના નાદ વચ્ચે વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી બાદ વર્ષોથી યોજના સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ યોજાવા ઉપરાંત સોસાયટીઓમાં પણ બાળકો દ્વારા મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કારઇ હતી. ગોધરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા બામરોલી રોડ, ચિત્રા સિનેમા રોડ ખાતે રાધા કૃષ્ણ પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતીજેની બીજા દિવસે વાજતે ગાજતે શોભાયાત્રા શહેરમાં કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા મેળાઓમાં અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.







 

LUNAWADA CITY

                    


                        ABOUT     LUNAWADA 

                                        



                          Lunawada is a municipality and administrative headquarters of the mahisagar district in the state of Gujarat, India. The name Lunawada is derived from Luneshwar Mahadev, a temple of Lord Shiva. Lunawada is surrounded by water, the sources being the Panam river, Vasant Sagar, Kanka Talav, Veri, and Darkoli Talav lake. Places that the visitor can see: Luneshwar Temple, Ramji Mandir, Hanumaan ni Veri, Kakachiya Triveni Sangam, Panam Bridge, Panam River Check Dam, Fateh Baug, Fuvara Chawk, Indira Gandhi Stadium, Jahavar Garden, and Kalka Mata ni Tekari.
Lunawada was established by the ancestors of Maharaja Vir Bhadra Singh as the state of Virpur, then it returned to the state of Lunawada. Before the town was established, the area was controlled by the princely state of Santrampur, ruled by Puwar Rajputs. The border of Santrampur state is near Koyli Vaav known as Mandvi Bazar. The last ruler of Lunawada was Maharaja Vir Bhadra Singh. The best known historical place near Lunawada is Kaleshwari where you can find Pandav chori, foot prints of Bhima, ancient water kund (small bodies of water sometimes sanctified), several vaavs (large wells with accessible steps to the water level) and the Lord Shiva temple.
Lunawada is in the mahisagar district of Gujarat State. Visitors can reach Lunawada via Godhara and Halol from the city of Vadodara. It is located 100  km from the city of Vadodara and 120  km from Ahmedabad.
Visitors can see places like Panam Bridge in the evening. One place to visit is the King's Palace as it is historically significant in the State of Guarat .
Lunawada is known for the temple of Luneshwar Mahadev. This ancient temple of Lord Shiva has a lot of religious importance as it is said that the Pandavas dwelled at this temple during their stay in the forest. The statue of Lord Shiva Lingam is of white stone found in the quarries of Madhya Pradesh. There is a Saint Kabir Ashram opposite to this Shiva temple. All the walls of this Ashram are engraved with the Dohas of Saint Kabir. Another ancient temple of Bhairavnath Mahadev is situated near the Luneshwar Mahadev temple. This temple has a statue of Bhairav and one of Lord Shiva. The next attraction is the temple of Melia Mahadev, which is 2 miles away from Lunawada. The local people come here to pray to fulfill their wishes and desires. A temple named Mitha Ganesh ni deri situated in mandvi bazar (beside pipli fali) is famous. Every year the celebration of Ganesh Chaturthiis is held here.
Lunawada was the Taluka (administrative subdivision) in the panchmahal district up to 15th august 2013. The town contains people of every kind of religious persuasion, Hindus, Jains, Sindhis, Muslims and Dawoodi Bohras. It has Hospitals and clinics for surrounding Talukas. The town has facilities like a Gymnasium, a Town hall,theater, Javahar Garden, public schools, a Religious school, and restaurants.
Lunawada people have made achievements in fields of business, education, banking, literacy, and health. Lunawada has a large NRI population thriving in different foreign countries like Kuwait, UAE, Canada, Oman, and the US. There is a saying "At least one person from a house in Lunawada is in a foreign country."
Lunawada is supplied by three rivers and two lakes with Veri, Panam and Mahisagar. The two lakes are Kishan sagar and Vasant sagar. 70% of Gujarati PTC teachers are from Lunawada Taluka. As Lunawada is growing rapidly, there is a TIN Facilitation center at nearby Chokdi.
Lunawada Taluka has secondary schools that people from regional areas go to for higher education.

Tuesday 20 August 2013

'મહી સાગર’ના આરે નવો જિલ્લો, ૧૯૯૭નું એક્શન રિપ્લે

'મહી સાગર’ના આરે નવો જિલ્લો, ૧૯૯૭નું એક્શન રિપ્લે થશે


 
'મહી સાગર’ના આરે નવો જિલ્લો, ૧૯૯૭નું એક્શન રિપ્લે થશે
ચરોતરમાં ૧૯૯૭નું એક્શન રિપ્લે થશે

ખેડાના પ તાલુકાના સમાવેશની શક્યતા

ગળતેશ્વર-ફાગવેલને પણ તાલુકાનો દરજ્જો

કાંઠાગાળાના ગામડાંઓને પ્રાધાન્ય અપાશે

ખેડા જિલ્લાનું વિભાજન કરવાની દિશામાં કવાયત

કેબિનટ બેઠકમાં મુસદ્દો તૈયાર કરી દેવાયો હોવાની ખેડા જિલ્લા ભાજપ પ્રમુખની નડિયાદમાં ઘોષણા


ખેડા જિલ્લાનું ૧૯૯૭માં વિભાજન થયા બાદ પુન: બીજી વખત ૨૦૧૨માં વિભાજન થયુ છે અને નવો જિલ્લો મહી સાગર બનાવી દેવાયો છે. સાથે-સાથે ફાગવેલ અને ગળતેશ્વરને તાલુકાનો દરજ્જો આપવાનો નિર્ણય મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી મીટિંગમાં લેવાયો હોવાનું ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ બિમલભાઈ શાહે જણાવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી પ્રજાજનોની માગણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડા જિલ્લા તેમ જ પંચમહાલ જિલ્લાના તાલુકાઓ ભેગાં મળીને નવો જિલ્લો મહી સાગર બનશે.

આ અંગેની વધુ માહિ‌તી આપતાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ બિમલભાઈ શાહે જણાવ્યું હતું કે 'ખેડા જિલ્લામાં આવેલા બાલાસિનોર, વિરપુર, સેવાલિયા સહિ‌ત મહીકાંઠાના પૂર્વ ગાળાના ગામડાંની પ્રજાને ખેડાની જિલ્લા કક્ષાની કચેરીએ આવવું પડતું હતું. તેઓના નાણાં અને સમયનો પણ વ્યય થતો હતો.તેઓની રજૂઆતને ધ્યાનમાં લઈને થોડાક સમયથી જિલ્લાકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના છેવાડાના તાલુકાઓ તથા પંચમહાલના તાલુકાઓને ભેગાં કરીને એક મહી સાગર જિલ્લો બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતના આધારે ગાંધીનગરમાં મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને બુધવારે બપોરે કેબીનેટની મીટિંગમાં નિર્ણય લેવાયો હતો.’

વધુમાં તેઓએ કહ્યું હતું કે 'નવા મહી સાગર જિલ્લામાં પાંચ તાલુકા હશે. ખેડા જિલ્લા અને પંચમહાલ જિલ્લાના છેવાડાના લોકમાતા મહી સાગર નદી આસપાસનાં ગામડાઓનો સમાવેશ કરીને નવો જિલ્લો બનાવાતાં પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.’

જિલ્લાકક્ષાની તમામ સુવિધાઓ મળશે

દૂરના અંતરિયાળ ગામડાઓનો વિકાસ હવે વધુ ઝડપી બનશે અને નવા તાલુકાઓ બનતાં મામલતદાર કચેરી, જિલ્લો બનતાં કલેક્ટર કચેરી સ્થાનિક કક્ષાએ બનશે. જિલ્લાકક્ષાના તમામ લાભો તથા વિકાસના કામોની સાથે વિશેષ ગ્રાન્ટ પણ તેઓને મળશે.-બિમલ શાહ, પ્રમુખ, ખેડા જિલ્લા ભાજપ

૧૨૦ કિલોમીટરનું અંતર કાપવુ નહીં પડે

આ સંદર્ભે સ્થાનિક અગ્રણી નાથાભાઈ પરમારે જણાવ્યું હતું કે 'પહેલાં અમારે વિરપુર તાલુકાના લીંબરડા ગામેથી નડિયાદ કચેરીના કામ અર્થે જવા માટે ૧૨૦ કિ.મી.નું અંતર કાપવુ પડતું હતું. હવે નવો જિલ્લો બનતાં અમારે ૨૦-૨પ કિલોમીટરના અંતરમાં જ જિલ્લા કલેક્ટર કચેરીનો લાભ મળી શકશે.’

ગળતેશ્વર અને ફાગવેલ નવા તાલુકા

મહી સાગર જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. સાથે-સાથે ખેડા જિલ્લાના યાત્રાધામ ગળતેશ્વર અને ફાગવેલ નવા તાલુકા પણ બનશે. કપડવંજ અને કઠલાલ તાલુકાના કેટલાક ગામડાઓ ભેગાં કરીને ફાગવેલ તાલુકો, જ્યારે ઠાસરા તાલુકાના ગામડાઓમાંથી ગળતેશ્વર તાલુકો બનાવવામાં આવશે.

નવા જિલ્લાની જાહેરાત પૂર્વે જ ઉત્સવ ઉજવાયો

ખેડા જિલ્લામાંથી વિભાજિત થઈને નવો જિલ્લો મહિ‌સાગર બનાવવામાં આવતાં વિરપુર, બાલાસિનોર તેમ જ સેવાલિયા વિસ્તારના ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અબીલ ગુલાલ ઉડાડીને ઉત્સવ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ, યુવા ભાજપ પ્રમુખ તથા અન્ય અગ્રણીઓ પણ મોટીસંખ્યામાં જોડાયા હતા.

લોકમાતાના નામ પરથી ત્રીજો જિલ્લો બનશે

નર્મદા જિલ્લો
તાપી જિલ્લો
મહી સાગર જિલ્લો

ક્યા ક્યા તાલુકાના સમાવેશની શક્યતા

નવા મહી સાગર જિલ્લામાં ખેડા જિલ્લામાંથી ફાગવેલ, સેવાલિયા, ગળતેશ્વર(ઠાસરા), બાલાસિનોર અને વિરપુર ઉપરાંત પંચમહાલના અમૂક તાલુકાઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

Saturday 17 August 2013

PRINCES OF LUNAWADA

LUNAWADA (Princely State)

(9 gun salute)





AREA: 1,005 km2PRIVY PURSE: 131,000Rs ACCESSION: 10th June 1948
STATE: BombayDYNASTY: SolankiRELIGION: Hindu
VILLAGES: 348POPULATION: 63,967 (1901) REVENUE: 178,701Rs
PRESENT RULER: HH Maharaja Sri BHUPENDRASINHJI VIRBHADRASINHJI, 24th and present Maharana of Lunawada since 1986. (Fateh Bagh Palace, Lunavada 389230, Gujarat, India)
born 14th October 1934 in Lunawada, married 31st May 1957 in Bhadrajun, HH Maharani Paras Kumari, and has issue.
  • Maharajkumari Harendra Kumari
PREDECESSORS AND SHORT HISTORY: The ancestors of the family, descendants of Sidhraj, Raja of Anhilwara Patan, are said to have established themselves as Chiefs of Virpur in 1225, later in 1434, Rana Bhimsinghji moved his capital to Lunawada across the Mahi, establishing his state there. The State was tributary both to Baroda and to Gwalior, but the rights of the latter were transferred to the British Government in 1861. Lunawada is a Second Class state in Rewa Kantha Agency. The Maharana maintains a military force of 201 cavalry, 295 infantry, and 40 guns (as of 1892). Rulers were ....
  • Rana BHIM SINGHJI, 1st Rana of Lunawada
  • Rana GANGA DASJI, 2nd Rana of Lunawada
  • Rana UDARANAJI, 3rd Rana of Lunawada
  • Rana VAGH SINGHJI [Baghavran Singhji], 4th Rana of Lunawada
  • Rana MAL SINGHJI [Mool Singhji], 5th Rana of Lunawada, married and had issue.
    • Rana Vanvirji (qv)
    • Rani Saras Kanwar, married (as his first wife), Rawat Chandra Bhan of Jawas, died 1600, and had issue.
  • Rana VANVIRJI, 6th Rana of Lunawada
  • Rana AKHERAJJI, 7th Rana of Lunawada
  • Rana KHUMBHOJI, 8th Rana of Lunawada
  • Rana JIT SINGHJI, 9th Rana of Lunawada
  • Rana TRILOK SINGHJI, 10th Rana of Lunawada
  • Rana DAYAL DASJI, 11th Rana of Lunawada 1629/1637; married and had issue.
    • Rana Chandra Singhji (qv)
  • Rana CHANDRA SINGHJI, 12th Rana of Lunawada 1637/1674, married and had issue. He died 1674.
    • Rana Bir Singhji [Virv Singhji] (qv)
  • Rana BIR SINGHJI, 13th Rana of Lunawada 1674/1711, married and had issue. He died 1711.
    • Rana Nar Singhji (qv)
  • Rana NAR SINGHJI, 14th Rana of Lunawada 1711/1735, married and had issue. He died 1735.
    • Kumar Shri Jit Singhji, married and had issue. He died vp.
      • Rana Shri Vakhat Singhji (qv)
      • Kumar Shri Budh Singhji, married and had issue.
        • Kumar Shri Keshorbhai Budhsinhji, married and had issue.
          • Kumar Shri Gemalbhai Keshorbhai
      • Kumar Shri Saheb Singhji, married and had issue.
        • Kumar Shri Kasalbhai Sahebsinhji, married and had issue.
          • Kumar Shri Prthibhai Kasalbhai, married and had issue.
            • Kumar Shri Mekrubhai Prithibhai
      • Kumar Shri Aad Singhji, married and had issue.
        • Kumar Shri Bhimsinhji Aadsinhji, married and had issue.
          • Kumar Shri Gulabsinhji Bhimsinhji, married and had issue.
            • Kumar Shri Surajmalji Gulabsinhji
          • Kumar Shri Makansinhji Bhimsinhji
    • Kumar Shri Jagji, married and had issue.
      • Kumar Shri Ratansinhji Jagji, married and had issue.
        • Kumar Shri Dhirajbhai Ratansinhji, married and had issue.
          • Kumar Shri Padmabhai Dhirajbhai, married and had issue.
            • Kumar Shri Ajitsinhji Padmabhai, adopted by Kumar Shri Narsinhji Daulatsinhji; married and had issue.
              • Kumar Shri Vakhatsinhji Ajitsinhji, adopted by Rana Shri Dalelsinhji Dalpatsinhji, and succeeded as Rana Shri Vakhatsinhji Dalelsinhji (see below)
            • Kumar Shri Arjunbhai Padmabhai, married and had issue.
              • Kumar Shri Dalpatsinhji Arjunbhai, adopted by Rana Shri Fatehsinhji Pratapsinhji, and succeed as Rana Shri Dalpatsinhji Fatehsinhji (see below)
    • Kumar Shri Umed Singhji, married and had issue.
      • Kumar Shri Kubersinhji Umedsinhji, married and had issue.
        • Kumar Shri Salamsinhji Kubersinhji, married and had issue.
          • Kumar Shri Dalelsinhji Salamsinhji, adopted by Rana Shri Dalpatsinhji Fatehsinhji, and succeeded as Rana Shri Dalelsinhji Dalpatsinhji (see below).
  • Rana Shri VAKHAT SINGHJI, 15th Rana of Lunawada 1735/1757, married and had issue. He died 1757.
    • Rana Shri Dip Singhji (qv)
    • Kumar Shri Daulatsinhji Vakhatsinhji, married and had issue.
      • Kumar Shri Narsinhji Daulatsinhji, he adopted Kumar Shri Ajitsinhji Padmabhai, son of Kumar Shri Padmabhai Dhirajbhai (see above); married and had adoptive issue.
        • (A) Kumar Shri Ajitsinhji Narsinhji, married and had issue.
          • Kumar Shri Vakhatsinhji Ajitsinhji, adopted by Rana Shri Dalelsinhji Dalpatsinhji, and succeeded as Rana Shri Vakhatsinhji Dalelsinhji (see below)
  • Rana Shri DIP SINGHJI, 16th Rana of Lunawada 1757/1782, married and had issue. He died 1782.
    • Rana Shri Durjan Salji (qv)
  • Rana Shri DURJANSALJI, 17th Rana of Lunawada 1782/1786, married and had issue. He died 1786,
    • Rana Shri Pratap Singhji (qv)
  • Rana Shri JAGAT SINGHJI, (18th) Rana of Lunawada 1786/-, married and had issue.
  • Rana Shri PRATAP SINGHJI, 18th Rana of Lunawada 1786/1817, married and had issue.
    • Rana Shri Shiv Singhji (qv)
    • Rana Shri Fateh Singhji (qv)
     
  • Rana Shri SHIV SINGHJI, (20th) Rana of Lunawada 1817/1818
  • Rana Shri FATEH SINGHJI, 19th Rana of Lunawada 1817/1849, married 1821, Rani Chiman Kunwari, daughter of Maharawat Sawant Singh of Pratapgarh, and his wife, Maharani Daulat Kunwari, and had adoptive issue. He died 1849.
    • (A) Kumar Shri Dalpatsinhji Arjunbhai, son of Kumar Shri Arjunbhai Padmabhai (see above), adopted by Rana Shri Fatehsinhji Pratapsinhji, and succeed as Rana Shri Dalpatsinhji Fatehsinhji (qv)
     
  • Rana Shri DALPATSINHJI FATEHSINHJI, 20th Rana of Lunawada 1849/1851, married and had adoptive issue. He died 1851.
    • (A) Kumar Shri Dalelsinhji Salamsinhji, son of Kumar Shri Salamsinhji Kubersinhji (see above), adopted by Rana Shri Dalpatsinhji Fatehsinhji, and succeeded as Rana Shri Dalelsinhji Dalpatsinhji (qv)
INTERREGNUM 1851/1852
  • Rana Shri DALELSINHJI DALPATSINHJI, 21st Rana of Lunawada 1852/1867, married and had issue as well as adoptive issue. He died spm in June 1867.
    • (A) Kumar Shri Vakhatsinhji Ajitsinhji, son of Kumar Shri Ajitsinhji Padmabhai and adoptive son of Kumar Shri Narsinhji Daulatsinhji (see above), adopted by Rana Shri Dalelsinhji Dalpatsinhji, and succeeded as HH Maharaja Rana Shri Vakhatsinhji Dalelsinhji (qv)
     
  • HH Maharaja Shri VAKHATSINHJI DALELSINHJI K.C.I.E., 22nd Maharana of Lunawada 1867/1929, born 11th August 1860 [or 28th August 1861], he succeeded to the gadi as a minor on 7th October 1867 (#1), educated at Rajkumar College, Rajkot; he was installed as ruler in August 1880 on attaining his majority; he was created a Knight Commander of the Most Eminent Order of the Indian Empire (K.C.I.E.) on 25th May 1889, and is entitled to a salute of 9 guns, married and had issue. He died 27th April 1929.
    • Yuvaraj Ranjitsinhji Vakhatsinhji, married (amongst others), Yuvrani Sajjan Kunwar, daughter of Yuvaraj Hindu Singhji of Multhan, and had issue. He diedvp.
      • Col. HH Maharaja Sri Virbhadrasinhji Ranjitsinhji (qv)
      • Maharajkumar Harischchandrasinhji Ranjitsinhji (fourth son), born 27th August 1924, married 2ndly (as her second husband), 11th August 1980, Rani Himmat Kunwarba Sahiba, daughter of Major HH Maharana Shri Maharaja Shri Raj Sir Ghanshyamsinhji Ajitsinhji Sahib Bahadur ofDhrangadhra. He died 3rd December 1987.
  • Col. HH Maharaja Sri VIRBHADRASINHJI RANJITSINHJI, 23rd Maharana of Lunawada 1929/1986, born 8th June 1910 in Lunawada (#2), invested with full ruling powers on 2nd October 1930, Member of the Chamber of Princes, married  Maharajkumari Manher Kunwarba [HH Maharani Kusum Kunwari of Lunawada], daughter of Capt. HH Maharana Raj Saheb Shri Sir Amarsinhji Banesinhji [Gangubha] of Wankaner, and had issue. He died 1986.
    • HH Maharaja Sri Bhupendrasinhji Virbhadrasinhji (qv)
    • Maharaj Pushpendrasinhji Virbhadrasinhji Solanki, married the daughter of Leela Mulgaonkar and Sumant Mulgaonkar [Moolgaokar] of Telco fame and chief of the Central Social Welfare Board.
      • Rajkumari Meenakshi Devi, married 1991, Rajkumar Vijit Singh of Jaipur.
    • Maharaj Ajeet Virbhadrasinh Solanki (by Maharani Kusum Kunwari), married Rani Tejal Solanki, and has issue.
      • Rajkumar Ashutosh Ajeetsinh Solanki, born 27th December 1983
      • Rajkumari Amrita Solanki, born 26th April 1987 in Pune, presently (2007) in third year at college, studying Commerce.
    • Maharaj Indrajeet Virbhadrasinh Solanki (by Maharani Kusum Kunwari), born 15th March 1948, married in Bombay, Rani Padmini Solanki, and has issue.
      • Rajkumar Kunal Indrajeetsinh Solanki 
      • Rajkumari Karishma Solanki 
  • HH Maharaja Sri BHUPENDRASINHJI VIRBHADRASINHJI, 24th Maharana of Lunawada (see above)
OTHER MEMBERS:
  • Maharajkumari Ratna Kumari, married (as his first wife), Rajkumar Pratap Singh of Banera.
  • Kumar Shri Naharsinhji, unsuccessful claimant for the gadi in 1930.

Thursday 15 August 2013

HISTORICAL PHOTOS OF THE MAHARAJA LUNAWADA










(01)
       H.H.Maharaja Natwarsinghji
(02)
      Maharani Kusum Kunverba
(03)
      H.H Maharaja Natwersinghji with his brother Maharaja Naharsinghji
(04)       
      H.H Maharaja Natwarsinghji welcomeing the political agent at chhotaudepur
(05)
     H.H Maharaja Natwarsinghji attending state office at the chhotaudepur darbar hal
(06)l
     From L to R-H.H Lunawada, H.H Chhotaudepur, H.H Dhrol, H.H Sachin
(07)          
     H.H maharaja Virendrasinghji Chahuan after shooting his first leopard.
(08)    
     H.H Natwarsinghji with his eldest son Virendrasingji
(09) 
     H.H Virendrasinghji Chahuan graduted with Economics(honors) from pune university
(10)  
     A game of polo being played at the Chhotaudepur Gymkhna, H.H Maharaja Virendrasinghji was a polo enthusiast..